
ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી ખેડૂતોને લગતી વિવિધ યોજનાઓ જેમાં સરકારશ્રી દ્વારા ખેડૂતોને વિશેષ પ્રકારના લાભ આપવામાં આવે છે. જેનાથી ખેડૂતોને આર્થિક મદદ મળી રહેતી હોય છે. ત્યારે ફરી એકવાર મિત્રો ખેડૂત તો માટે ચલાવવામાં આવતી યોજના કે જે ખેડૂતોને ખેતીલાયક યોજનાઓ હોય છે. તેમાંથી મહત્વની યોજના છે તે ખેડૂતોના પાકને બચાવવા માટેની યોજના એટેલેકે તાર ફેન્સીંગ લગાવવાની યોજના સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. જેનો ઘણા મિત્રોએ આજ દિન સુધી લાભ લીધો છે. ત્યારે ફરી એકવાર મિત્રો ખેડૂતો દ્વારા સરકારમાં કરાયેલી વારંવાર રજૂઆત તો ના ધોરણે સરકારશ્રી દ્વારા ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવેલો છે જેમાં આ યોનનાના નિયમોમાં કેટલાક મોટા ફેરફાર કરવામાં આવેલા છે.
જે નિયમો નીચે મુજબ છે ફેરફાર કરાયેલા
- થંબાલાઓની ઊંચાઈ અને પહોળાઈના જે નિયમો પહેલા બનાવેલા હતા તેમાં ઊંચાઈ અને પહોળાઈના હાલના ધોરણોમાં 25% ની છૂટ આપવામાં આવી છે
- પહેલા યોજનાનો લાભ લેવા માટે ખેડૂત મિત્રોએ ISI માર્કો ફરજિયાત સામગ્રી સાથે જોડાયેલો હોય તેવી સામગ્રી ખરીદવાની રહેતી હતી.પરંતુ હવે ખેડૂતોએ ISI માર્કને બદલે પોતાની પસંદગીની સામગ્રી ખરીદી શકશે જો કે મિત્રો તેમાં જીએસટી બિલ મેળવવું ફરજિયાત રહેશે
- બે થાંભલા વચ્ચેના અંતરમાં પણ કેટલીક છૂટછાટ આપીને બે થાંભલા વચ્ચે 3 મીટરના અંતરની જોગવાઈમાં 25% સુધીની છૂટ પણ આપવામાં આવી છે
- નવી જોગવાઈ મુજબ ખેડૂતોએ તેમને અનુકૂળ હોય તેવી રીતે બંને બાજુ 15 – 15 મીટરના સપોર્ટ વાળા થાંભલા પણ લગાવવાની છૂટછાટ હાલમાં આપવામાં આવી છે જે નિયમો મુજબ રહેશે
ખેતરની ફરતે તારની ફેન્સીંગ લગાવવાની યોજના વિશેષ માહિતી. તેમજ શું છે આ યોજના?
ખેડૂતો દ્વારા કરવામાં આવતા ઉત્પાદનની કૃષિ પેદાશોને જંગલી પ્રાણીઓ અને બિન માલિકના ઢોરના ત્રાસથી બચવા અને તેમના પાકને બચાવવા માટે ના પ્રયાસરૂપે સરકારશ્રી દ્વારા ખેડૂતોના માટે એક વિશેષ યોજના શરૂ કરવામાં આવી છે જે ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી. આ યોજના એટલે કે તાર ફેન્સીંગ યોજના. આ યોજના ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી છે .આ યોજનાની વાત કરવામાં આવે તો આ યોજનાની શરૂઆત 2005 માં તેની શરૂઆત કરવામાં આવી પછી નોંધપાત્ર ફેરફારમાં પસાર થઈ છે આ યોજનાનો હેતુ ખેડૂતોને કૃષિ અસરકારકતા વધારવા અને વધુ ખેડૂતોને તેમના કૃષિ ઉત્પાદનમાં વધુ ફાયદો આપવા માટે કરવામાં આવે છે.
તો ગુજરાતની ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવાના હેતુથી ગુજરાત સરકાર દ્વારા આ લક્ષ ને હાંસલ કરવા માટે સખત મહેનત કરવામાં આવી રહી છે સાથે ગુજરાત રાજ્યના નર્મદા વિકાસ રાજ્યમંત્રી યોગેશ પટેલ દ્વારા આ યોજનાનો સૌપ્રથમ પ્રારંભ કરવામાં આવેલ હતો. ત્યારબાદ આ યોજનામાં કુલ ગુજરાત સરકાર દ્વારા અઢીસો કરોડ રૂપિયાની ફાળવણી પણ કરવામાં આવેલી હતી
તાર ફેન્સીંગ યોજનાનો લાભ વિશે માહિતી.
આ યોજનામાં સરકાર દ્વારા ખેડૂત મિત્રો જે પણ આ યોજનાનો લાભ લે છે તેમને બે હપ્તામાં સહાય પૂરી પાડવામાં આવે છે ત્યારે પ્રથમ તબક્કા દરમિયાન ખેડૂતોને 50% સબસીડી માટે પાત્રતા ધરાવતા હોય છે. તે રૂ 100 પ્રતિ મીટર અથવા કુલ ખર્ચના 50% જે ઓછું હોય તે મળવા પાત્ર હોય છે . આ સબસિડી મેળવવા માટે ખેડૂતોએ જરૂરી માપદંડ પૂરા કરવાના રહેતા હોય છે. જેમાં નિયમ મુજબ ખેડૂતોએ જરૂરી થાંભલા સ્થાપિત કરવા પડશે અને ચકાસણી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. ત્યારબાદ મિત્રો ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ પ્રોજેક્ટ ને પૂર્ણ થયા પછી બીજા તબક્કા માટે સરકાર દ્વારા ચૂકવવામાં આવતી 50% સહાય ચુકવણી ઓફર કરે છે જે બાદ તમે તેની લાભ લઈ શકો છો
તાર ફેન્સીંગ ની સ્કીમ 2023 માટેના પાત્રતાના નિયમો
યોજનાનો લાભ લેવા માટે વ્યક્તિગત ખેડૂતોએ અથવા ખેડૂતોના જૂથોની અરજી હાલમાં આકારણી હેઠળ છે કે નહીં તેની સમીક્ષા પ્રક્રિયા ખેડૂત અથવા ખેડૂતની વિગતોનું મૂલ્યાંકન કરવામાં આવશે. જેમાં તેમની અરજી અને તેમના બેંક નાણાકીય ખાતા વિશેની સંબંધિત માહિતી નો સમાવેશ કરવામાં આવે છે આ અરજી સાથે આગળ વધવા માટે ખેડૂત વર્ગ ને જરૂરી દસ્તાવેજ ૭/૧૨ અને ૮અ ની માહિતીની સાથે આધાર કાર્ડ ની નકલ જરૂરી છે આ દસ્તાવેજો આવશ્યક દસ્તાવેજોની અંદર ગણવામાં આવે છે.