
મિત્રો આજકાલમાં સોશિયલ મીડિયા દ્વારા અનેક માહિતી આપણને મળતી હોય છે તે બધી માહિતીમાંથી હાલમાં લેટેસ્ટમાં મિત્રો એક માહિતી બહાર આવી છે જેમાં કહેવામાં આવી રહ્યું છે. કે નવી શિક્ષણ નીતિ 2024 ને અમલ કરીને હવેથી ધોરણ 10 ની પરીક્ષા નહિ લેવાય તેવી હાલમાં સોશિયલ મીડિયા અને અનેક વેબસાઈટ અને સોશિયલ મીડિયાના ગ્રુપોમાં જોવા મળી રહી છે.
ત્યારે મિત્રો વાત કરવામાં આવે આ જે મેસેજ વાયરલ થઈ રહ્યો છે તેની સત્યતાની વાત કરીએ તો PIB એટલે કે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી છે કે જેમાં આ પોસ્ટ જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે કે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે હવેથી ધોરણ 10 ની પરીક્ષા નહિ લેવાય! અને નવી શિક્ષણનીતિને કેન્દ્રમાં મંજૂરી મળી ગઈ છે અને લાગુ થઈ ગઈ છે જેમાં કહેવામાં આવ્યું છે કે ભારત સરકાર દ્વારા કેન્દ્રમાં પ્રસ્થાપિત કેન્દ્ર સરકારની મંજૂરી બાદ 36 વર્ષે નવી શિક્ષણનીતિ લાગુ કરવામાં આવી છે.
બોર્ડની પરીક્ષા માત્ર ધોરણ 12 માં લેવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું છે !
ત્યારે વધુમાં આ પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે કે બોર્ડ ની પરીક્ષા માત્ર ધોરણ 12 લેવામાં આવશે. એમફિલ બંધ કરવામાં આવશે. અને કોલેજની ડીગ્રી 5 વર્ષની કરવામાં આવશે. અગાઉ બોર્ડની પરીક્ષા જે ધોરણ 10 માં લેવામાં આવતી જે હવે લેવામાં આવશે નહી તેવું પણ કહેવામાં આવ્યું હતું.
વાયરલ મેસેજ ન સત્યતા બહાર આવી ડિટેલ વાંચવી.
વાયરલ મેસેજ ની સત્યતા બહાર આવતા જાણવા મળ્યું છે કે જે આ મેસેજ છે તે એકદમ તદ્દન ખોટો છે અને પીઆઇ બી એટલે કે પ્રિસ ઇન્ફોર્મેશન બ્યુરો એ સ્પષ્ટ કર્યું છે કે આ જૂઠ્ઠાણું છે . અધિકારીએ જણાવ્યું છે કે આ મેસેજ એકદમ તદ્દન ખોટો છે. અને ભારત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કોઈપણ આવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો નથી કે આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.