
જમીન રી – સર્વેને લઈને સરકારનો મોટો નિર્ણય.
હવે ગુજરાતના ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા ખૂબ જ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો આજકાલ દરેક વસ્તુને ડિજિટલ ફોર્મેટમાં કરવામાં આવી રહી છે, તે પછી સરકારની દરેક યોજનાઓ હોય કે પછી જમીન ને લગતી કોઈપણ માહિતી કે જેના દ્વારા સરકારશ્રીને ખેડૂતો સુધી પહોંચવામાં સીધી મદદ મળી રહે તે રીતે ઓનલાઇન ડિજિટલ ફોર્મેટ તૈયાર કરી રહી છે .તેવી જ એક સુવિધાની વાત આપણે કરીશું , સરકારશ્રી દ્વારા જમીન સર્વેને લઈને સરકારે મોટણ નિર્ણય લીધો છે તેના વિશે.
રાજ્યમાં ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોડનાઈઝેશન પ્રોગ્રામ હેઠળ ગુજરાતમાં આવેલા 33 જિલ્લાઓમાં ખેતીને જમીનનો રેકોર્ડ અને માપણી પ્રમોલગેશનની કામગીરી સરકારશ્રી દ્વારા કરવામાં આવી રહી છે , ત્યારે આ પ્રમોલગેશનની કામગીરી કર્યા બાદ ખેડૂતો દ્વારા અને ખાતેદારો દ્વારા રેકોર્ડમાં ક્ષતિઓ રહેલી તે ક્ષતિઓ સુધારવા માટે ઘણીવાર રજૂઆત કરવામાં આવી હતી , ત્યારે આ ક્ષતિઓને દૂર કરવા માટે અને સુધારવા માટે ગુજરાત સરકારના જમીન મહેસુલ અધિનિયમની કલમ 203 હેઠળ અપીલ કરી શકે છે જેબ જોગવાય કરવામાં આવેલી છે તે જોગવાઈ મુજબ અપીલ કરી શકાય છે. જેમાં સમય અને ખર્ચનો વ્યય થતો હતો ત્યારે સરકાર સુધારા સમાજને સમસ્યાને ધ્યાનમાં રાખીને સરકારે સુપ્રીડેન્ટ લેન્ડ રેકોર્ડ ની સાદી અરજી દ્વારા ક્ષતિઓનો નિકાલ કરવામાં આવે તેની સત્તા તેમને આપવામાં આવી છે. જે માટે સરકાર દ્વારા અગાઉ આ અરજી કરવા માટે છેલ્લી તારીખ 31/12/2024 હતી જેને વધારીને હવે સરકારશ્રી દ્વારા 31/12/ 2025 કરવામાં આવી છે.
સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય થી ખેડૂતોની ક્ષતિઓ સુધારવા થતી મુશ્કેલીઓ અને ત્યાર બાદ વધુ પડતા દસ્તાવેજો તેમજ વકીલ ફી જેવા વધારાના ખર્ચ થી ખેડૂતોને બચાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.તો ફરી હવે ખેડૂતોને આ અરજી કરવા માટે વધારાનો સમય મળી રહેશે.
ત્યારે મિત્રો મળતી માહિતી મુજબ પ્રમોલગેશન પછી વાંધા અરજી રજુ કરવાની સમય મર્યાદા વધારો કરવા સિવાયની યથાવત રહેશે. મિત્રો આપ સૌનું જણાવી દઈએ કે સરકારશ્રી દ્વારા 2023 ના બજારમાં જમીનભાઈ સર્વેને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો હતો
ભૂપેન્દ્રભાઈ ની સરકાર દ્વારા લેવામાં અવાયો મોટો નિર્ણય જાણો શું છે આ નિર્ણય.
વારંવાર આવી રજૂઆતોના પગલે સરકાર દ્વારા હવે આ નિર્ણય લેવામા આવ્યો છે જેની જેની અંદર ખેડૂત પોતાની ખેતીનો જમીનની અંદર આવેલો છેલ્લો સર્વે નંબર પણ બીન ખેતી જમીન થઈ ગયા બાદ પણ કોઈ ખેડૂત અથવા કોઈ અન્ય વ્યક્તિ જે ખાતેદાર છે તે ખેડૂત પ્રમાણપત્ર માંગે તો આવી જમીન બિનખેતી થઈ ગઈ હોય છતાં પણ એક વર્ષમાં ખેડૂત પ્રમાણપત્ર આપવાનું રહેશે તેવી હાલમાં નિર્ણય લેવામાં આવ્યું છે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો ખેડૂતે આ પ્રમાણપત્રની તારીખથી બે વર્ષમાં જમીન ખરીદી કરવાની રહેશે. આ અંગેનો ઠરાવ પ્રસિદ્ધ થયાના એક વર્ષ પહેલાંથી આ પ્રકારે બિન ખેડૂત થયેલા અરજદારો પણ આ નિર્ણયનો લાભ મળશે, જે સરકારશ્રી દ્વારા ખેડૂતો માટે એક ખૂબ જ ઉપયોગી નિર્ણય લેવામાં આવ્યો છે.
