
મિત્રો હાલમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે વાત કરવામાં આવે તો એક બાજુ જ્યારે ઠંડીનો કહેર ગુજરાતના અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે ત્યારે હવે ફરી એકવાર મિત્રો ગુજરાત પર માવઠાની આફત આવી પહોંચી છે વાત જાણે મિત્રો એમ છે ,કે હવામાન વિભાગ દ્વારા અને આગાહીકાર એવા ગુજરાતના બે મોટા નામ કે જેમના દ્વારા આગાહી કરવામાં આવી છે એટલે કે અંબાલાલભાઈ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી આ આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાત પર હવે માવઠાની આફત આવી પહોંચી છે . જો મિત્રો વાત કરવામાં આવે તો સમગ્ર શિયાળા દરમિયાન વેસ્ટર્નના કારણે બનતી સિસ્ટમ ના કારણે હવામાન વિભાગ અને પરેશભાઈ ગૌસ્વામી તેમજ અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં એટલે કે 27 અને 28 તારીખે ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠુંતેમજ કેટલાક વિસ્તારમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે
આગાહી કરતા મિત્રો વાત કરવામાં આવે તો રાજસ્થાન ઉપર સક્રિય થયેલા સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના વાતાવરણમાં મોટી ઉથલપાથલ જોવા મળી શકે છે, તેવી આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે મિત્રો વાત કરવામાં આવે તો હવામાનની સ્થાન અંબાલાલ પટેલ તેમજ પરેશભાઈ ગૌસ્વામી જેવો આગાહી કરતા ઓછી તેમાંથી પરેશભાઈ ગૌસ્વામી આગાહી કરતા તેમને ચેતવણી આપી છે કે રાજ્યમાં ફરી એકવાર ડિસેમ્બરમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ભેજના કારણે 27 ડિસેમ્બર અને 28 ડિસેમ્બર ના રોજ ગુજરાતનાં અનેક વિસ્તારમાં ચોમાસા જેવી પરિસ્થિતિ જોવા મળી શકે છે એટેલેકે મિત્રો માવઠું થઈ શકે છે ,તો એક બાજુ ગુજરાતનાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરતાં જણાવવામાં આવ્યું છે કે ઉતર ગુજરાતનાં કેટલાક જિલ્લાઓ જેવા કે બનાસકાંઠા , સાબરકાંઠા,અરવવલ્લી ,પાટણ ,મહેસાણા ,પંચમહાલ,દાહોદ ,મહીસાગર ,છોટા ઉદેપુર ,નર્મદા ,જામનગર ,પોરબંદર ,મોરબી ,દેવભૂમિ દ્વારકા ,કચ્છ ,ડાંગ ,નવસારી ,વલસાડ અને તાપી જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે . જેને લઈને સરકાર દ્વારા આગામી જાણ કરવામાં આવીછે
કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈને ખેડૂત મિત્રોને જોગ સંદેશ આપવામાં આવ્યો છે ….

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ મિત્રો કમોસમી વરસાદની આગાહીને લઈને ખેડૂતો માટે ખેડૂત મિત્રો જોગ સંદેશ બહાર પાડવામાં આવ્યું છે જેની વાત કરવામાં આવે તો હવામાન ખાતાના પૂર્વના અનુમાન મુજબ આગામી તારીખ 27 12 2024 થી લઈને 28 12 – 2024 દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે
ત્યારે વરસાદને અનુલક્ષીને મિત્રો ખેડૂત મિત્રો પાકના રક્ષણ માટે અને તેમની અન્ય વસ્તુના રક્ષણ માટે ઉચિત પગલાં આમ તો લેતા જ હોય છે પરંતુ તેમ છતાં નીચે મુજબના તકેદારીના પગલાં લેવા રાજ્યના ખેડૂતોને સંદેશ આપવામાં આવ્યો છે.
- કમોસમી વરસાદથી થતા પાક નુકસાન થી બચવા માટે મિત્રો ખેડૂતોને ખેત ઉત્પાદિત ખેતરમાં કાપણી કરેલ પાક જો ખુલ્લા મેદાનમાં પડ્યો હોય તો તેને તાત્કાલિક અસરથી સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરી નાખવી જોઈએ. અથવા તો તાડપત્રી પ્લાસ્ટિકની યોગ્ય રીતે ઢાંકી અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલા નીચે જતુ અટકાવવું જેથી પાકને નુકસાન ન થાય
- આગામી સમયમાં વરસાદની સંભાવના હોવાથી જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો જોઈએ
- અને જો મિત્રો આગામી સમય માટે તમે પહેલાથી ખેતરમાં નાખવાનું ખાતર જો ઘરે લાવેલું હોય તો તેની યોગ્ય જગ્યાએ ભેજ ના લાગે તેવી રીતે મૂકી દેવું
- અને એપીએમસીમાં વ્યાપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલાં લેવા અનુરોધ કરવામાં આવે છે
તેમજ આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક જિલ્લા ખેતી અધિકારી/કેવી કે અથવા કિસાન કોલ સેન્ટર ફ્રી નંબર 1800 180 15 51 નો સંપર્ક કરવો